અમદાવાદ, ભારત – યુએસએ સ્થિત 501(c)(3) નોન-પ્રોફિટ સંસ્થા “દ રેમ્પ પ્રોજેક્ટ”, જેની સહ-સ્થાપિકા નવ્યા પાઠક છે, સર્વસામાન્ય માટે સુગમતા અને સર્વસમાવેશને લગતી જાગૃતિ લાવવા માટે સક્રિય પગલાં ભરી રહી છે. આ સંસ્થા જાહેર સ્થળોએ રેમ્પનું નિર્માણ કરીને અને અનુભવ વર્ણવીને એ સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે કે સુગમતા કોઈ ખાસ લોકો માટે નથી, પરંતુ દરેક માટે મૂળ અધિકાર છે.
- “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
- IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
- ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
આ જ વિચારધારાને આગળ વધારતા, સંસ્થાએ અમદાવાદના મેઘાણીનગર સ્થિત રામેશ્વર મંદિરે એક વિશેષ નિઃશુલ્ક મલ્ટી-સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ યોજ્યો. જેમાં નવ્યા પાઠકના નેતૃત્વ હેઠળ વિવિધ અનુભવ ધરાવતા તબીબોની ટીમ – જેમાં ENT, સ્ત્રિરોગ તજજ્ઞ, બાળરોગ નિષ્ણાતો વગેરેનો સમાવેશ થાય છે – દ્વારા હજારો જરૂરતમંદ લોકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને સલાહ આપવામાં આવી.
નવ્યા પાઠકે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું: “દ રેમ્પ પ્રોજેક્ટનું દ્રષ્ટિકોણ એ છે કે સુગમતા એ દરેક સમાજ માટે સામાન્ય ધોરણ બને. અમે ફક્ત રેમ્પ બાંધતા નથી, પરંતુ અમારા અનુભવ શેર કરીને સમાજમાં એ સમજ ફેલાવવાનો પ્રયાસ કરીએ છીએ કે દરેક વ્યક્તિને જાહેર સ્થળે સન્માન સાથે પ્રવેશ મળવો જોઈએ. આવાં મેડિકલ કેમ્પ દ્વારા આપણે આરોગ્ય ક્ષેત્રની અસમાનતાઓ દૂર કરી શકીએ છીએ અને તેને વધુ સર્વસમાવેશક બનાવી શકીએ છીએ.”
આ સફળ આયોજને દ રેમ્પ પ્રોજેક્ટના ભારતના આરોગ્ય સેવાઓના વિસ્તરણ, કુશળતા વિકાસ અને સર્વસમાવેશની દિશામાં ચાલુ અભિયાનમાં એક મહત્વપૂર્ણ પગથિયું પુરું પાડ્યું છે. સંસ્થાનું લક્ષ્ય એ છે કે દરેક નાગરિકને પોતાની દિનચર્યાને ગૌરવ સાથે જીવી શકે એ માટે યોગ્ય સંભાવનાઓ મળવી જોઈએ.


